(જી.એન.એસ) તા. 5
ગાંધીનગર,
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ હતી.
સદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.૦૩.૦૬.૨૦૨૫ ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી તથા તા.૦૫.૦૬.૨૦૨૫ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. જે અંતર્ગત ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે, આજ તા.૦૫.૦૬.૨૦૨૫ ના રોજ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નીચે મુજબના ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે નિયત કરવામાં આવેલ છે.
૧.ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ
આમ આદમી પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૨.રમેશભાઈ મગનભાઈ ચાવડા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૪-કડી (અ.જા.)
૩.રાજેન્દ્રકુમાર (રાજુભાઈ) દાનેશ્વર ચાવડા
ભારતીય જનતા પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૪.ડૉ. ગિરીશભાઈ જેઠાભાઈ કાપડીયા
પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૫.જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ
રાઈટ ટુ રીકોલ પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૬.પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ
ભારતીય જન પરિષદ
૨૪-કડી (અ.જા.)
૭.મકવાણા કમલેશભાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૮.મકવાણા દશરથભાઈ ગણપતભાઈ
આપકી આવાઝ પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૯.ઈટાલીયા ગોપાલ
આમ આદમી પાર્ટી
૮૭-વિસાવદર
૧૦.કિરીટ પટેલ
ભારતીય જનતા પાર્ટી
૮૭-વિસાવદર
૧૧.નીતીન રાણપરીયા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૮૭-વિસાવદર
૧૨.કિશોરભાઈ કાનકડ
પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી
૮૭-વિસાવદર
૧૩.તુલસી લાલૈયા
અપક્ષ
૮૭-વિસાવદર
૧૪.નિરૂપાબેન નટવરલાલ માધુ
અપક્ષ
૮૭-વિસાવદર
૧૫.પટેલ બિનલકુમાર વિષ્ણુભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૧૬.પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૧૭.નારીગરા ભરતભાઈ એસ. પ્રજાપતિ
અપક્ષ
૮૭-વિસાવદર
૧૮.યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી
અપક્ષ
૮૭-વિસાવદર
૧૯.રજનીકાંત વાધાણી
અપક્ષ
૮૭-વિસાવદર
૨૦.રાજ પ્રજાપતિ
અપક્ષ
૮૭-વિસાવદર
૨૧.સુરેશ માલવીયા
અપક્ષ
૮૭-વિસાવદર
૨૨.સોલંકી રોહિત બધાભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૨૩.સંજય હિતેષભાઈ ટાંક
અપક્ષ
૮૭-વિસાવદર
૨૪.હીતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા
અપક્ષ
૮૭-વિસાવદર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે.
જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે.