(જી.એન.એસ) તા. 09
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ શુક્રવારે (9 મે) સિંધુ જળ સંધિના સસ્પેન્શન પર પોતાના મંતવ્યો શેર કર્યા, જેને ભારત દ્વારા સ્થગિત કરવામાં આવ્યું હતું, જે 22 એપ્રિલ (મંગળવાર) ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ બેંકના અધ્ય અજય બંગાએ કહ્યું છે કે, આ સંધીમાં અમારી ભૂમિકા માત્ર ફેસિલિટેટર એટલે કે મધ્યસ્થીની છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં જ આ સમજૂતી મામલે ઘર્ષણ થયું છે, જોકે અમે તેને ઉકેલવા માટે હસ્તક્ષેપ નહીં કરીએ.
અજય બંગાએ એક મીડિયા ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અમારી ભૂમિકા માત્ર સુવિધા આપવા સુધી સીમિત છે. સમજૂતી વખતના નિર્ણય મુજબ વિશ્વ બેંક તે ટ્રસ્ટના ફંડથી તટસ્થ નિષ્ણાત અથવા મધ્યસ્થી કોર્ટની નિમણૂક માટે ફીની ચુકવણી કરે છે. આ સિવાય અમારી તેમાં કોઈ ભૂમિકા નથી.’ આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું કે, વિશ્વ બેંક આ દ્વિપક્ષીય મુદ્દામાં હસ્તક્ષેપ નહીં કરે.
સિંધુ જળ સંધિ હેઠળ પશ્ચિમ તરફની ત્રણ નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમનું પાણી પાકિસ્તાનને ફાળે ગયું હતું. પૂર્વ તરફની ત્રણ નદીઓ રાવી, બિયાસ અને સતલજનું પાણી ભારતને ફાળવવામાં આવ્યું હતું. અલબત્ત, પાકિસ્તાનને ફાળે ગયેલી ત્રણ નદીઓનો ઉદ્ભવ ભારતમાં જ થતો હોવાથી, એ નદીઓનું 20 ટકા પાણી ભારત વાપરી શકશે, એવા કરાર થયા હતા. આ પાણી ભારત ખેતી માટે ઉપયોગમાં લઈ શકશે.