‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન’; વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો આતંકીઓ સાથેના સંબંધોનો પર્દાફાશ કર્યો

‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન’; વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો આતંકીઓ સાથેના સંબંધોનો પર્દાફાશ કર્યો


(જી.એન.એસ) તા. 8

નવી દિલ્હી,

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ બન્ને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (8 મે) ભારત સરકારના કેટલાક વિભાગોના સચિવોની હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત હાલના ઘટનાક્રમોને લઈને ચર્ચા કરી હતી. ત્યારે આજે ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

આ પ્રેસ વાર્તામાં કર્નલ સોફિયાએ કહ્યું હતું કે, ‘અમે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અમે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતમાં સૈન્ય ઠેકાણાઓ પર કોઈ પણ હુમલો યોગ્ય જવાબને આમંત્રિત કરશે. 7-8 મે 2025ની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, બઠિન્ડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના પ્રયાસ કર્યા. તેમણે ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યૂએએસ ગ્રિડ અને વાયુરક્ષા પ્રણાલીઓ દ્વારા નિષ્પ્રભાવી કરી દેવાઈ. આ હુમલાઓના કાટમાળ હવે અનેક સ્થળોથી એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.’

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, ‘બોર્ડર પાર આપણા વિરૂદ્ધ ઘણી બધી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલાક વાતોને ધ્યાનમાં રાખવા લાયક છે, જેમ કે તણાવ વધારવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ કાલે તેનો જવાબ આપ્યો છે. ‘ધ રેજિસ્ટ્રેન્સ ફ્રન્ટ’ (TRF) સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ સંગઠન છે, જેણે પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. અમે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને તમામ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. TRF અંગે અપડેટ સતત અપાઈ રહી છે.’ વિક્રમ મિસ્ત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, ‘જ્યારે UNSCના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાતો આવી તો માત્ર પાકિસ્તાને તેનો વિરોધ કર્યો અને નામ હટાવ્યું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી સંગઠનને ઢાલ અને સમર્થન આપી રહ્યું છે.’

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતની કાર્યવાહી માત્ર આતંકવાદના મૂળને ધ્વસ્ત કરવા સુધી સીમિત હતી, અમે નાગરિકો અને સૈન્ય ઠેકાણાઓ પર નહીં, પરંતુ માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. પાકિસ્તાનના સૂચના મંત્રી દ્વારા એ કહેવું કે અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી, તે સંપૂર્ણ રીતે જૂઠ અને ભ્રામક છે. પાકિસ્તાન આજે પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ઓસામા બિન લાદેન ત્યાં મળ્યો અને પાકિસ્તાને તેને શહીદ કહ્યો હતો. પાકિસ્તાનની સંયુક્ત તપાસની રજૂઆત ફરી એકવાર સમય ખેંચવાની અને ખુદને બચાવવાની રણનીતિ છે. ભારતે 26/11 અને પઠાણકોટ જેવા હુમલાઓની તપાસમાં સહયોગ કર્યો, પરંતુ પાકિસ્તાને મામલાને સાઈડમા મૂકી દીધો. મુંબઈ હુમલા પર વિસ્તૃત પુરાવા આપવા છતા કોઈ કઠોર કાર્યવાહી ન થઈ. પઠાણકોટ મામલે પાકિસ્તાનની ટીમને ડીએનએ વિશ્લેષણ, આતંકવાદી સંગઠનોના પદાધિકારીઓની માહિતી આપવામાં આવી, પરંતુ તેમ છતા કોઈ કાર્યવાહી નથી થઈ. ત્યાં સુધી કે જ્યાં આતંકવાદીઓના ‘જનાજા’ને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવે છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *