ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટર પર ઝેર ઓકયું
(જી.એન.એસ) તા. 7
ઇસ્લામાબાદ,
ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકે અને પાકિસ્તાનની અંદર હવાઈ હુમલો કર્યો છે. શરૂઆતની માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ આ હુમલામાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા છે અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.
ત્યારે હકે ફરી એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન્ન શાહબાઝ શરીફનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનની ધરતી પર પાંચ સ્થળોએ “કાયર હુમલા” કરવામાં આવ્યા છે. પાકિસ્તાનને આ યુદ્ધ-પ્રેરણાદાયક કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની સેના અને લોકો સંપૂર્ણપણે એક છે અને દેશનું મનોબળ ઊંચું છે.
22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ બૈસરન ખીણને નિશાન બનાવ્યું હતું અને આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ ભારતે ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આખરે પાકિસ્તાન પર હુમલો કર્યો છે.