પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ – ભારત દ્વારા યોગ્ય પ્રતિભાવ
(જી.એન.એસ) તા. 8
નવી દિલ્હી,
ભારતીય સેન ના ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. 07-08 મે 2025ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જેને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા ખતમ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ પછીનો કાટમાળ હવે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરતા અનેક સ્થળોએથી મળી રહ્યો છે.
આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવી હતી. ભારતીય પ્રતિક્રિયા પાકિસ્તાન જેટલી જ તીવ્રતાથી સમાન ક્ષેત્રમાં રહી છે. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમને ખતમ કરવામાં આવી છે.
પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરના વિસ્તારોમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર ઉશ્કેર્યા વગર પણ ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે.
પાકિસ્તાની ગોળીબારને કારણે ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત સોળ નિર્દોષ લોકોના જીવ ગયા છે. અહીં પણ, ભારતને પાકિસ્તાન તરફથી મોર્ટાર અને આર્ટિલરી ફાયર રોકવા માટે જવાબ આપવાની ફરજ પડી હતી.
જો પાકિસ્તાની સૈન્ય સન્માન કરશે તો ભારતીય સશસ્ત્ર દળોએ તણાવ ન વધારવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી છે.
તેમજ ગુરવારે સવારે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના અનેક સ્થળે એર ડિફેન્સ રડાર અને સિસ્ટમ પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ભારતે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ કરી નાંખી હતી.
પાકિસ્તાનના આડેધડ ફાયરિંગમાં 16 નાગરિકોના મોત થયા છે, જેમાં ત્રણ મહિલા અને પાંચ બાળકો પણ સામેલ છે. આ કારણસર ભારતીય સેનાએ પણ તોપમારો કરીને પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. નોંધનીય છે કે, સર્વપક્ષીય બેઠક પછી ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. પાકિસ્તાન કોઈ પણ કાર્યવાહી કરશે તો ભારત પીછેહઠ નહીં કરે. અત્યાર સુધી કરાયેલી કાર્યવાહીમાં 100 આતંકવાદી માર્યા ગયા છે.