કૃષિ યાંત્રીકરણની યોજના હેઠળ ખેડૂતોને સહાયિત દરે આપવામાં આવનાર સાધનો/ઓજારોની કંપનીઓ માટે નોંધણી ફરજિયાત

કૃષિ યાંત્રીકરણની યોજના હેઠળ ખેડૂતોને સહાયિત દરે આપવામાં આવનાર સાધનો/ઓજારોની કંપનીઓ માટે નોંધણી ફરજિયાત


કંપનીઓ અને તેમના અધિકૃત ડિલરો આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર આગામી તા. ૨૦ મે, ૨૦૨૫ સુધી જરૂરી પુરાવા સાથે નોંધણી કરી શકશે

(જી.એન.એસ) તા. 8

ગાંધીનગર,

ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા અમલીકૃત કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેડૂતોને ભારત સરકાર માન્ય ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવેલા માન્ય વેલીડીટી ધરાવતા ખેત ઓજારો અથવા સાધનો સહાયિત દરેથી આપવામાં આવશે.

જે અન્વયે ઓજારોની તમામ કંપનીઓએ આઈ-ખેડૂત ૨.૦ (ikhedut.gujarat.gov.in ) પોર્ટલ પર ફરજીયાત પણે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવવામાં માટે પોર્ટલમાં “કંપની નોંધણી” પર ક્લિક કરીને કંપની પસંદ કરવાની રહેશે. ત્યારબાદ જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

આ ઉપરાંત કંપનીઓએ તેમના અધિકૃત ડિલર નિમવા માટે ડિલરો પાસે પણ “ડિલર” તરીકે આ જ પદ્ધતિ મુજબ નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણીની છેલ્લી તારીખ ૨૦/૦૫/૨૦૨૫ સુધીની રહેશે, જે મુજબ નોંધણીની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા, ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *