રાધનપુરમાં ત્રણ તાલુકા ઓને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે ગુરુવારે એક દિવસના પ્રતીક ધરણા ઉપર બેઠેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજ પ્રત્યેની પોતાની લાગણીને વાચા આપી હતી. પ્રતીક ધરણા ઉપર બેઠેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને જોવા માટે ઠાકોર સમાજના છાત્રાલય માં રહીને ભણતી ઠાકોર સમાજની બાળાઓ ધરણાના સ્થળે આવી હતી.ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બાળાઓને જોઈને તમામ બાળાઓને પોતાની પાસે બોલાવીને બેસાડીને તેમના ભણતર વિષે પૃચ્છા કરી હતી,અને કોઈ તકલીફ કે જરૂરિયાત હોય તો જણાવવા કહ્યું હતું. બાળાઓ પણ પોતાની કાળજી રાખતા ધારાસભ્યને જોઈને ખુશખુશાલ થઇ ગયી હતી.