મહેસાણા : સતલાસણાના ધરોઈ ડેમમાં ધસમસતા પાણીમાં ગત ગુરૂવારે બે યુવાનો તણાયા હતા જે પૈકી એકનું મોત થયું હતું. બીજા યુવાનનો આબાદ બચાવ થયો હતો, આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો અનુસાર ઈડરના વણકર ભાવેશ વીરચંદભાઈ (ઉ.વ.રપ) અને તેનો મિત્ર અજય ગત ગુરૂવારે સતલાસણા ખાતે આવેલા ધરોઈ ડેમ જાવા માટે ગયા હતા. અને પાણીમાં જવા માટે ડેમ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે એકાએક પાણીમાં તણાઈ ગયા હતા. જા કે આ ઘટનાના પગલે અજય પાણીમાંથી બહાર ખેંચી કઢાયો હતો જ્યારે ભાવેશ પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સતલાસણા મામલતદાર મંજુલાબેન રાજપુતે પોલીસને વિગત આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.