અરવલ્લી જિલ્લામાં ગણપતિ વિસર્જન
મોડાસા
આજે સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવનો વીસર્જન કાર્યક્રમ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ના દુંદાળા દેવ ની મૂર્તિ નો વિસર્જન કાર્યક્રમ યોજાયો યોજાયો હતો આ વિસર્જન કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભાદરવા સુદ - ૪ થી ભાદરવા સુદ ચૌદશ સુધી દસ દિવસ ધામધૂમ પૂર્વક ઉજવાયેલા ગણપતિ મહોત્સવ નો આજે વિસર્જન સાથે સમાપન યોજાયું અરવલ્લી જિલ્લા માં આજે તમામ તાલુકા અને ગ્રામ્ય સ્તરે યોજાયેલ ગણેશ મહોત્સવ નો વિસર્જન કાર્યક્રમ યોજાયો જિલ્લા ના મોડાસા ના સિદ્ધિવિનાયક મંદિરે યોજાયેલ ગણપતિ મહોત્સવ તેમજ રામપાર્ક કા રાજા સાઈ ગણેશ મહોત્સવ સહિત ના ૨૦ થી વધુ પંડાલો માંથી ગણેશજી ની મૂર્તિ શોભાયાત્રા કાઢવા માં આવી અબાલ વૃદ્ધ સૌ કોઈ શોભાયાત્રા માં જોડાયા અને ભગવાન ગણેશ જી ને આવતા વર્ષે વહેલા પધારશો ના ભાવ સાથે ભક્તો નાચી જુમ્યા હતા મોડાસા નગરપાલિક દ્વારા ઓધારી તળાવ આગળ બનાવેલ કુંડ માં મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.