રાધનપુર ખાતે નશાબંધી પદયાત્રાનું આયોજન કરાયું

 
 
પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નશાબંધી અંગે જન જાગૃતિ કેળવવા નશાબંધી અધિક્ષકની કચેરી પાટણ તથા શ્રી લીલાવતીબેન મણીલાલ શાહ સાયન્સ કોલેજ, રાધનપુર અને શ્રી અમરજયોત એજયુકેશન ટ્રસ્ટ, રાધનપુરના સંયુકત ઉપક્રમે નશાબંધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
 તેમાં નશાબંધી ખાતાના અધિકારીઓ તથા કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 
પાટણના રાજપુર મુકામે ગામના ચોકમાં નશાબંધી અંગે લોકોનો સહકાર મેળવી લોક જાગૃતી કેળવવા માટે મશાલ રેલી અને નશાબંધી નાટક ચુડી-ચાંદલો અમર રાખો ભજવવામાં આવેલ.
મશાલ રેલીમાં ગામના સરપંચ, ગામના સભ્યો, નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રૃતિબેન દવે, નશાબંધી અને આબકારી સબ ઇન્સ્પેકટ એચ.વી.પટેલ અને ગ્રામજનો રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.