ધ્રાંગધ્રા કેનાલમાંથી પાણી વાપરતા 50 ખેડૂતો સામે ફરિયાદ

નર્મદાના કાર્યપાલક ઇજનેરે ધ્રુમઠ, દુદાપુર સહિતના ગામની સીમમાં 50 જેટલા ખેડૂતો સામે ફરિયાદ કરવામાં આવી છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ખેડૂતો બકનળી કેનાલમાં મુકી પાણી બગાડ કરતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. નર્મદાના કાર્યપાલક ઇજનેરે ધ્રુમઠ, દુદાપુર સહિતના ગામની સીમમાં 50 જેટલા ખેડૂતો સામે ફરિયાદ નોંધાવતા પંથકના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી ધ્રાંગધ્રા પંથકના ધ્રુમઠ, દુદાપુર અને આસપાસ ગામની સીમ માંથી નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલમાંથી પાણી લઈને ખેડૂતો વાવેતર કરેલા મોલને પીવડાવે છે.
 
આથી નર્મદાના કાર્યપાલ ઈજનેર એમ.ડી.પટેલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ધુમઠ, દુદાપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 59 જેટલી મોટર અને બકનળી મુકી કેનાલમાંથી પાણી ખેતરમાં ઠાલવી પાણીનો બગાડ કરતા હોવાની ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ હતી. આમ એક બાજુ ધ્રાંગધ્રા પંથકમાં વરસાદ નથી પડયો અને ખેડૂતો મોલ બચાવા કેનાલનુ પાણી લે છે. ત્યારે પોલીસ ફરિયાદ નોંધાતા ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષની લાગણી છવાઈ ગઈ છે અને ફરિયાદના ઘેરા પ્રત્યાધાત પડી રહ્યા છે. આ અંગે તાલુકા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.