સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ખાતે ૩૨ આવાસોનું ઇ-લોકાપર્ણ કરાશે
હિંમતનગર
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૩ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ વલસાડ જિલ્લાના જુજવા ગામેથી સમગ્ર રાજયના ૧.૫૧ લાખ આવાસોનું ઇ-ગૃહ પ્રવેશ કરાવનાર છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરાના ૩૨ લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૪૧૦૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રાંતિજ તાલુકાના સીતવાડા નજીકના નવાપરા ગામના ૩૨ લાભાર્થીઓનો સમાવિષ્ટ થાય છે. જેનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી વલસાડ ખાતેના કાર્યક્રમથી ઇ-ગૃહ પ્રવેશ કરાવી નવાપુરા ગામના લોકો સાથે સીધો સંવાદ કરશે.