ધાનેરા ની ઉપવેદ સ્કુલમાં ૭૨ મા સ્વાતંત્ર દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી મયુરભાઇ ઠાકર ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. અને આ કાર્યક્રમમાં નાના નાના ભુલકાઓએ વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજુ કરીને લોકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં નાના નાના ભુલકાઓના વાલીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને પ્રોગ્રામમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહીત પણ કર્યા હતા.